Hanuman Jayanti 2012

 

તા:૦૬/૦૪/૨૦૧૨ - હનુમાન જયંતીની આગલી રાત્રે શ્રી પીપળીયા હનુમાનજી મંદિરના પટાંગણમાં શ્રી રામાયણ મંડળ, દાહોદ દ્વારા એક લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના જાણીતા સાહિત્ય સમ્રાટ શ્રી યોગેશ દાન ગઢવી અને તેમના સાથી કલાકારોના તાલથી દાહોદના લોકો ઝૂમી ઉઠ્યા હતા. શ્રી યોગેશ દાન ગઢવીની જાહેરમાં બોલવાની આગવી શૈલીએ એક અનોખું વાતાવરણ બનાવ્યું હતું અને ત્યાં ભારે માત્રામાં લોકો હાજર રહ્યા હતા. મંજીરા વાદક અને બેન્જો વગાડનારાઓ એ પણ એક અલગ જ આકર્ષણ જમાવ્યું હતું.